Saturday, September 7, 2013

ત્યારે દીશા બદલાય છે...

અતૂટ મહેનત કરવા છતાં જ્યારે દશા ના
બદલાય ત્યારે દીશા બદલાય છે...
સમર્પણ સાથે થયેલા કામની કદર
ના થાય ત્યારે દીશા બદલાય છે..
બે-ચાર પૈસાના ફરકને જોતા નથી કર્મવીરો
પણ સ્વમાન ઘવાય ત્યારે દીશા બદલાય છે...
રાજ ભલે હોય સાચા, ચાકર દરવખતે ખોટા નથી હોતા..
દર્દ પરાકાષ્ઠાએ અનુભવાય ત્યારે દીશા બદલાય છે..
અવગણનાને તો વારંવાર અવગણીએ ''સંદીપ''
કાબેલિયત પર વાર થાય ત્યારે દીશા બદલાય છે..

સંદીપ કાનાણી (23મી જુલાઈએ લખેલી કવિતા)
 

No comments:

માણસ

 મુશ્કેલીઓ સામે લડતો માણસ, અંદર અંદરથી તૂટતો માણસ. બહારથી અડીખમ પહાડ જેવો  ભીતર વેદનામાં ડૂબતો માણસ. ચહેરા પર સ્મિતનો મહોરો પહેરે, અંતરમાં આ...